Udaipur murder case side effect - ગુજરાત રોડવેજે બંધ કરી પોતાની બસોની રાજસ્થાનમાં એંટ્રી

ગુરુવાર, 30 જૂન 2022 (16:01 IST)
ડુંગરપુર - ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની હત્યા પછી ઉભા થયેલા હાલતના હવે સાઈડ ઈફેક્ટ (Udaipur murder case side effect)સામે આવવા લાગ્યા છે. ઉદયપુર સંભાગમાં તનાવપૂર્ણ માહોલને જોતા પડોશી રાજ્ય ગુજરાતે પોતાની રોડવેજ બસોને રાજસ્થાન-ગુજરાત બોર્ડર  (Rajasthan-Gujarat Border) પર જ રોકી દીધી છે. તેનાથી આ બસોમાં આવનારા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  ગુજરાતની સરકારી બસોને છોડીને અન્ય ખાનગી બસો  યથાવત રાજસ્થાનથી આવી જઈ રહી છે. 
 
મળતી માહિતી મુજબ ગુજરાત રોડવેજ પ્રબંધને ડુંગરપુર જીલ્લાના રતનપુર બોર્ડર પરથી રાજસ્થાનમાં આવનારી પોતાની રોડવેજની બસોને પોતાના રાજ્યના અંતિમ બસ સ્ટેંડ શામળાજીમાં રોકી દીધી છે. ગુજરાતના અમદાવાદ અને અન્ય જીલ્લામાંથી ઉદયપુર અને નાથદ્વારા આવનારી બસોને રાજસ્થાનની સીમા રતનપુરથી પહેલા ગુજરાતના અંતિમ બસ સ્ટેંડ શામળાજીમાં રોકવામાં આવી  રહી છે.  ગુરૂવારે સવારે શામળાજી બસ સ્ટેંડ પર ગુજરાત રોડવેજની લગભગ એક ડઝન બસના પૈડા ત્યા જ રોકી દેવામાં આવ્યા. 
 
શામળાજીમાં રાજસ્થાનના મુસાફરોને બસ બદલવી પડે છે
તે જ સમયે, ગુજરાતના વિવિધ બસ સ્ટેન્ડ પરથી ઉદયપુર ડિવિઝન માટે જતી સરકારી બસો પણ આગામી આદેશો સુધી દોડશે નહીં. ગુજરાતની સરકારી બસો બંધ થવાના કારણે રાજસ્થાન આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓએ શામળાજીથી વાહન બદલીને રાજસ્થાન તરફ આવવુ  પડશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર