રાજ્યમાં હજી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા

સોમવાર, 22 જુલાઈ 2024 (08:45 IST)
હવે સૌરાષ્ટ્ર અને કચ્છ પર રહેલ વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને તેની અસર રાજ્યના ઘણા જિલ્લાઓમાં થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
પોરબંદરમાં 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં, ઉપરાંત વંથલી તથા કેશોદમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.
 
આગામી એકથી બે દિવસ સુધી હજી આ પ્રકારની સ્થિતિ રહેવાની સંભાવના છે અને હજી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી ચાર-પાંચ દિવસમાં ગુજરાતમાં હજુ પણ વરસાદ પડી શકે છે.
 
20 જુલાઈની વાત કરીએ તો રાજકોટ, અમેરલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
 
તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
 
આ સિવાય કચ્છ, જામનગર, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
 
20 જુલાઈ બાદ સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, બોટાદ, આણંદ, વડોદરા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
 
તો મોરબી, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.
 
વરસાદથી થયેલા નુકસાન અંગે તેમણે કહ્યું કે "છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદને કારણે 57 ગામો અસરગ્રસ્ત થયાં છે. 359 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો છે. જે પૈકીનાં 314 ગામોમાં વીજપુરવઠો પૂર્વવત્ કરવામાં આવ્યો છે અને 45 ગામોમાં કામગીરી ચાલુ છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર