આજકાલ હાર્ટ અટેકના મામલા ખૂબ વધી ગયા છે. એક ક્ષણમાં માણસ સારા એવો દેખાય રહ્યો હોય છે અને જોત જોતામાં જ એક જ ઝટકામાં તે મોતના મોઢામાં જતો રહે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક મામલો જોવા મળી રહ્યો છે. જ્યા એક વ્યક્તિ ખુરશી પર બેઠા બ્ઠા જ બેહોશ થઈને પડી જાય છે અને બીજી ક્ષણે તેનો જીવ જતો રહે છે. મામલો સૂરતના પદ્માવતી માર્કેટનો બતાવર્હ્યો ચ હે. જ્યા 6 જૂનના રોજ 27 વર્ષના એક યુવક પોતાના કાપડની દુકાન પર આરામથી ચેયર પર બેસ્યો હતો. ત્યાર અચાનક તેને એટેક આવ્યો અને એક જ ઝટકામા તેનો જીવ જતો રહ્યો. હૃદયરોગના હુમલાએ એક જ ક્ષણમાં તેનો જીવ લઈ લીધો
યુવકનું નામ ઋષભ ગાંધી જણાવવામાં આવી રહ્યું છે. જેની સગાઈ માત્ર પાંચ દિવસ પહેલા થઈ હતી. આ ઘટના દુકાનમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઘટનાએ ઋષભના પરિવાર અને તેના મિત્રોને ચોંકાવી દીધા હતા. સીસીટીવી ફૂટેજ મુજબ, ઋષભ તેના કર્મચારીઓ સાથે બેસીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને અન્ય વિષયો પર સામાન્ય વાતચીત કરી રહ્યો હતો. વાતચીત દરમિયાન, તેણે તેની સામે રાખેલી પાણીની બોટલ ઉપાડી, પરંતુ ઢાંકણ ખોલતા પહેલા, તેને હૃદયરોગનો હુમલો આવ્યો. ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે અચાનક બેહોશ થઈ ગયો અને ખુરશી પર પડી ગયો. ઋષભને આ હાલતમાં જોઈને, સ્થળ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ આખી ઘટના થોડીક સેકન્ડમાં બની, જેના કારણે ત્યાં હાજર લોકોને કોઈ તક મળી નહીં.
સગાઈ માત્ર 5 દિવસ પહેલા થઈ હતી
તમને જણાવી દઈએ કે ઋષભની સગાઈ તાજેતરમાં જ થઈ હતી, અને તેના પરિવારમાં ખુશીનો માહોલ હતો. સગાઈ સમારોહના ફોટા અને વીડિયો હજુ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા, ત્યારે આ હૃદયદ્રાવક ઘટનાએ પરિવારની ખુશીને ક્ષણભરમાં શોકમાં ફેરવી દીધી. પરિવાર અને મિત્રો માટે આ પીડા અસહ્ય છે. સુરતના વેપારી સમુદાયે ઋષભને એક મહેનતુ અને મૈત્રીપૂર્ણ યુવાન તરીકે યાદ કર્યો, જેમાં જીવનમાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા હતી.