રુપાલની પલ્લીને લઇ મોટી રાહત

રવિવાર, 10 ઑક્ટોબર 2021 (11:53 IST)
રુપાલની પલ્લીને લઇ મોટી રાહત
ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષે યોજાતી રૂપાલની પલ્લીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વરદાયિની માતાની પલ્લી યોજાશે. જેમાં કોવિડ-19ના નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જો કે પલ્લીમાં મેળો ન યોજાય તેવું સ્થાનિકોનું મંતવ્ય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આજે વરદાયિની માતાજીના મંદિરે પહોચ્યા હતાં અને ભક્તિભાવપૂર્વક પૂજન કરીને તેઓએ માતાજીની આરતી કરી હતી. એ સમયે કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર