Live તોગડિયાની પ્રેસ કોન્ફ્રેંસ - ગુજરાત સરકાર પર તોડિયાનો આરોપ, મારા પર લાંબા સમયથી ષડયંત્ર ચાલે છે

મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (10:59 IST)
- ગુજરાત સરકાર પર તોડિયાનો આરોપ, મારા પર લાંબા સમયથી ષડયંત્ર ચાલે છે 
- હુ સિક્યોરિટીને કહીને નીકળ્યો હતો કે હુ કાર્યાલય છોડીને જઈ રહ્યો છુ 
-- હુ ફ્કત મારા કાર્યાલયમાં આવેલ અજાણ્યા માણસ પર જ વિશ્વાસ નહોતો કર્યો.. મને ફોન પણ આવ્યો એટલે હુ સુરક્ષાના કારણોસર કાર્યાલય છોડીને નીકળી ગયો હતો 
 - બોલતા બોલતા રડી પડ્યા પ્રવિણ તોગડિયા 
- મારી ત્રણ જ સંપત્તિ નથી. 
- મારી ગુજરાત કે રાજસ્થાન પોલીસને કોઈ કમ્પ્લેન નથી.. હુ ગુજરાત પોલીસને વિનંતી કરુ છુ કે તમે મારા રૂમનુ સર્ચ વોરંટ કેમ કાઢો છુ શુ હુ કોઈ ક્રિમિનલ છુ 
- હુ ન્યાયાલય સામે છુ.. આ ઘટનાના સમયે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો અને પોલીસથી દૂર જઈને ન્યાયાલય પાસે જવાની ઈચ્છા હતી.. 
- મને ડોક્ટર અનુમતિ આપશે ત્યારે હુ દવાખાનામાંથી બહાર નીકળીશ અને જયપુર જઈને ન્યાયાલય સામે ઉભો રહીશ 
- હુ કાર્યકર્તાને વિનંતી કરુ છુ કે હુ શાંતિ કાયમ રાખજો 
- થોડી વાર પછી પણ કંઈ જાણ જ ન થઈ.. મારી આંખો ખુલી તો હુ હોસ્પિટલમાં હતો 
- હુ એકલો ઓટો રિક્ષામાં ગયો .. હુ એરપોર્ટ જવાનુ કહીને બાપુનગર લઈ જવાનુ કહ્યુ 
- તેથી મે નિર્ણય કર્યો કે હુ પોલીસને બતાવ્યા વગર મારા કાર્યકર્તાને લઈને કોર્ટમાં જઈશ.. 


તેથી હુ કોઈને કહ્યુ નહી કે હુ કાર્યાલય છોડીને જઈ રહ્યો છુ 
- મને થયુ કે કોઈ દુર્ઘટના થઈ તો મારુ જે થવાનુ હશે તે તો થશે પણ દેશમાં શુ થશે એ કહેવાય નહી 
- હુ મોતથી ડરતો નથી.. મને લાગ્યુ કે કોઈ ખોટુ થઈ રહ્યુ છે. 
 મારી માંગ હતી રામ મંદિર બનાવો 
- મે પોલીસને કહ્યુ હતુ કે અઢી વાગે આવો. હુ સવારે જ્યાર પૂજા પાઠ કરતો  હતો ત્યારે એક વ્યક્તિ મારા રૂમમાં દોડી આવ્યો અને બોલ્યો તમે જલ્દી કાર્યાલય છોડો.. તમારુ એનકાઉંટર કરવામાં આવશે 
- મારો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામા આવ્યો 
- હિન્દુઓનો અવાજ દબાવવાનો પ્રયાસ 
- આઈબી પરેશાન કરે છે. 
- થોડી જ વારમાં તોગડિયાની પ્રેસ કોન્ફ્રેંસ 
- ધીરુ કપાસિયા સાથે ગયા હતા તોગડિયા 
- કોઈપણ સુરક્ષા વગર રવાના થયા હતા તોગડિયા 
- ધીરુ કપૂરિયાએ ઘરે જઈને કરાવી હતી દાઢી 
- ધનશ્યામે ડ્રાઈવરના ફોન પરથી 108 પર ફોન કર્યો હતો 
- ધનશ્યામ કપૂરિયાને પણ મળવા ગયા હતા તોગડિયા 
- ધનશ્યામ કપૂરિયા અને 108 કર્મચારીનું નિવેદન લેવાયુ 
- ધનશ્યામ કપૂરિયાના ડ્રાઈવરનું પણ નિવેદન લેવાયુ 








- વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના અધ્યક્ષ પ્રવિણ તોડડિયા થોડી જ વારમાં પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. તોગડિયા

સોમવારે સવારથી જ લાપતા હતા. લગભગ 11 કલાક પછી તેઓ બેભાન અવસ્થામાં મળ્યા હતા. તેમણે ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તોગડિયા પ્રેસ કૉન્ફ્રેંસમાં કદાચ આ જ 11 કલાકના રહસ્ય પરથી પડદો ઉઠાવી શકે છે. 
 
ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે જેવા જ તોગડિયાના ગાયબ થવાના સમાચાર ઉડ્યા તો એક બાજુ હડકંપ મચી ગયો. તેમના સમર્થક ગુસ્સામાં આવી ગયા અને અનેક સ્થાન પર પ્રદર્શન પણ કર્યુ. તોગડિયાને રાજસ્થાન કે ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવાના સમાચારથી અમદાવાદમાં હંગામો પણ થયો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર