ગુજરાતમાં ભૂકંપના આંચકાથી ધરતી હચમચી, લોકો ગભરાઈને ઘરની બહાર આવ્યા; પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ફોન પર વાત

ગુરુવાર, 4 નવેમ્બર 2021 (23:24 IST)
ગુજરાતમાં ભૂકંપ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાતચીત કરી છે. ગુજરાતના દ્વારકામાં આવેલા ભૂકંપ બાદ પીએમ મોદીએ રાજ્યના સીએમ સાથે વાત કરી અને સ્થિતિ વિશે જાણકારી મેળવી. ગુજરાતમાં બપોરે 3.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા 5.0 હતી.
 
 ધરતી ધ્રુજારીને કારણે લોકો ગભરાઈ ગયા અને પોતાના ઘરની બહાર નીકળી ગયા. મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુ અસર થઈ છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભૂકંપના કેન્દ્રથી 10 કિમી નીચે હતું. ભૂકંપનું કેન્દ્ર દ્વારકાથી 223 કિમી અને અમદાવાદથી 453 કિમી દૂર હતું.
 
ઉલ્લેખનીય છે કે  ગુજરાત પહેલા આજે સવારે મણિપુરના મોઈરાંગમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેમની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ જણાવ્યું હતું કે ભૂકંપ મોઇરાંગના દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં 52 કિલોમીટર અને 57 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. NCS દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુરુવારે સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર