Plane Crash in Ahmedabad - અમદાવાદના રહેણાંક વિસ્તારમાં વિમાન દુર્ઘટના, આકાશમાં ધુમાડાના વાદળો દેખાયા

ગુરુવાર, 12 જૂન 2025 (14:02 IST)
Plane Crash in Ahmedabad- ગુજરાતના અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના સમાચાર છે. આ અકસ્માત અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયો હતો. અકસ્માત બાદ આકાશમાં ધુમાડાના ગોટા દેખાય છે.

અમદાવાદમાં વિમાન દુર્ઘટના, એર ઇન્ડિયાનું વિમાન લંડન જઈ રહ્યું હતું, જેમાં 242 લોકો સવાર હતા
 
આજે ગુજરાતના અમદાવાદમાં એક વિમાન ક્રેશ થયું છે. મેઘાણી નગરમાં એરપોર્ટ નજીક IGP ગ્રાઉન્ડ પર આ અકસ્માત થયો હતો. જે વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું તે એર ઇન્ડિયા એરલાઇન્સનું હોવાનું કહેવાય છે. વિમાન દુર્ઘટના બાદ આકાશ કાળા ધુમાડાથી ભરાઈ ગયું છે. પ્રાથમિક માહિતી મુજબ, ક્રેશ થયેલ વિમાન એક પેસેન્જર વિમાન છે.

અદાણી એરપોર્ટ ખાતે Air India નું પ્લેન ક્રેશ થયાનું સામે આવ્યું છે. બચાવ કામગીરી ચાલુ છે. આ તરફ હવે ફ્લાઈટ લંડન તરફ જઈ રહી હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી મુસાફરોમાં સામેલ છે

કહેવામાં આવી રહ્યું છે કે વિમાન એરપોર્ટની સીમા નજીક પડ્યું હતું અને પડતાંની સાથે જ તેના ટુકડા થઈ ગયા હતા. વિમાનમાં આગ લાગી ગઈ હતી અને કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ એરપોર્ટ નજીકની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોને તેમની રજા રદ કરીને તાત્કાલિક ફરજ પર બોલાવવામાં આવ્યા હતા. અકસ્માત સ્થળેથી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સતત આવી રહી છે. હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ બચાવ કાર્યમાં રોકાયેલ છે.

#Gujarat

An aircraft has crashed near Forensic Cross Road in Meghaninagar, Ahmedabad, Gujarat. Police and fire brigade teams are rushing to the scene at IGB Ground. More details awaited.@NewIndianXpress @santwana99 @jayanthjacob
#Ahmedabad #PlaneCrash #BreakingNews pic.twitter.com/VUGKJ4psgv

— Dilip Kshatriya (@Kshatriyadilip) June 12, 2025
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર