નીતિન પટેલ વિશે પૂછતાં બોલવાનું ટાળી સીએમ રૂપાણી ચાલતાં થયાં,

શુક્રવાર, 25 મે 2018 (16:48 IST)
સોશિયલ મીડિયામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના રાજીનામાની વાતો વહેતી થઇ હતી. હાર્દિક પટેલના ફેસબુક પેજ પર નીતિન પટેલના રાજીનામાના ઉલ્લેખ વાળી પોસ્ટ પાટીદારોના ગ્રુપમાં વાઈરલ થઈ રહી છે. જોકે આ વાત ખોટી હોવાનું નીતિન પટેલનું કહેવું છે.  નીતિન પટેલે કહ્યું કે, તેમની પ્રતિષ્ઠા ખરડાવવા માટે આવા પ્રયાસો થઈ રહ્યા છે. આવી કોઈ જ વાત નથી તેવી પણ નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. નીતિન પટેલ નારાજ છે અને રાજીનામુ આપશે તેને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ફેલાયેલી છે. પરંતુ તે મુદ્દે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બોલવાનું ટાળ્યુ છે. પત્રકારો સાથેની વાતચીત સમયે તેઓએ નીતિન પટેલની નારાજગી અંગે પૂછાયેલા સવાલનો જવાબ આપતા કંઈ જાણતા નથી. તેમ કહી ચાલતી પકડી હતી.

ગઢડાના ખોપાળા ગામે સીએમ વિજય રૂપાણીએ જળસંચય અભિયાન અંતર્ગત મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેઓએ તળાવને ઉંડી કરાવવાની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. જે બાદ પત્રકારો દ્વારા નીતિન પટેલની નારાજગી અંગે સવાલ કરતા વિજય રૂપાણીએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને ત્યાંથી ચાલતી પડકી લીધી. તેમણે જણાવ્યું કે તે આ અંગે કઈ જનતા નથી અને જવાબ આપવાનું ટાળ્યું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર