પ્રાથમિક માહિતી અનુસાર, સુરતના સાત લોકો સાંઈ બાબાના દર્શન કરવા માટે શિરડી ગયાં હતા. દર્શન કર્યા પછી તેઓ નાસિક થઈને સુરત પરત ફરી રહ્યા હતાં, ત્યારે ડ્રાઇવરે અચાનક વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે તે રસ્તાની બાજુમાં ગાડી પલટી ગઈ. બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે પાંચ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે વાહનનો આગળનો ભાગ સંપૂર્ણપણે તુટી ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ ખૂબ જ મુશ્કેલીથી બધાને બચાવ્યા અને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નાસિક ખસેડ્યા હતાં.