મોતના કારણો અંગે વન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, કુલ 314 મૃત્યુમાંથી 251 સિંહોના મોત કુદરતી કારણોસર થયા છે, જેમાં 58 સિંહ, 67 સિંહણ અને 126 સિંહબાળનો સમાવેશ થાય છે. જ્યારે 63 સિંહોના મોત અકુદરતી કારણોસર થયા હોવાનું સામે આવ્યું છે. અકુદરતી રીતે મૃત્યુ પામેલા વનરાજોમાં 17 સિંહ, 24 સિંહણ અને 22 સિંહબાળનો સમાવેશ થાય છે, જે વન વિભાગ માટે તપાસનો વિષય છે.