સંતાઈને કર્યો જવાનો પર અટેક
મળતી માહિતી મુજબ સેનાના જવાનોને કમકારી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓના છિપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. અને તેથી તે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ. તેમા કેટલાક જવાન ઘાયલ થઈ ગયા. બીજી બાજુ આશંકા એ પણ છે કે હુમલા પછી આતંકી જંગલમાં ભાગી ગયા છે. વધુ જવાનોને જંગલમાં મોકલવામાં આવ્યા જે આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે જ જમ્મુ-કાશ્મીરના કુપવાડા કેકોવુત વિસ્તારમાં એક આતંકી હુમલામાં નોન કમીશન ઓફિસર દિલાવર સિંહ ઘાયલ થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનુ મોત થઈ ગયુ હતુ. ત્યારબાદ એનકાઉંટરમાં સેનાને એક આતંકીને પણ ઠાર કર્યો હતો. બીજી બાજુ મંગળવારે પુંછમાં થયેલા આતંકવાદી સાથે એનકાઉંટરમા લાંસ નાયક સુભાષ કુમાર શહીદ થઈ ગયા હતા.