ગુજરાત આવી રહેલા ઇઝરાયલી જહાજ પર મિસાઇલ વડે હુમલો, મુંદ્રા તટ પર પહોંચ્યું જહાજ

શનિવાર, 27 માર્ચ 2021 (18:52 IST)
ઇઝરાયલનું માલવાહક જહાર આખરે શુક્રવારે ગુજરાતના મુંડ્રા પોર્ટ પર પહોંચી ગયું છે. તેના પર ગુરૂવારે મિસાઇલ એટેક કરવામાં આવ્યો હતો. ઇઝરાયલનો આરોપ છે કે આ હુમલો ઇરાને કરાવ્યો હતો. જોકે તેની પુષ્ટિ થઇ નથી. ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તે આ ઘટના પર બારીકાઇથી નજર રાખી રહ્યા છે. જોકે ભારત સરકારે તેના પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. 
 
ઇઝરાયલી કંપની આ જહાજ તંજાનિયાથી ભારત તરફ આવી રહ્યું હતું. આ દરમિયાન જહાજ સાથે એક મિસાઇલ ટકરાઇ હતી. જહાજના એક ભાગમાં આગ લાગી હતી અને એંજીનમાં થોડી ખરાબી આવી હતી. ક્રૂ મેંબર્સએ આગને ઓલવી દીધી છે. એંજીન પણ આ સ્થિતિમાં હતું તેની મદદથી આગળ વધારી શકાતું હતું. 
 
ગત મહિને ઓમાનની ખાડીમાં પણ ઇઝરાયલી જહાજ પર હુમલો થયો હતો. 25 ફેબ્રુઆરીના રાત્રે એમવી હેલિયોસ રે નામના આ જહાજ પર થયેલા હુમલાને લઇને ઇઝરાયલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહૂએ ઇરાને દોષી ગણાવ્યા હતા. તો બીજી તરફ ઇરાને આ આરોપથી ઇનકાર કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર