ICC T20 WC: IND vs PAK મેચ 24 ઓક્ટોબરને શારજાહમાં કોઈ મેચ નહી રમશે ભારત

મંગળવાર, 17 ઑગસ્ટ 2021 (13:01 IST)
24 ઓક્ટોબરે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો
31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે ભારતની ટક્કર
ત્રીજી નવેમ્બરે અફઘાનિસ્તાન સામે મેચ
17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે T-20 વર્લ્ડકપ
ઓમાન અને યૂએઈમાં રમાશે વર્લ્ડકપ.
 
ઈંટરનેશનલ ક્રિકેટ કાઉંસિલએ મંગળવારે આ વર્ષ થનાર ટી-20 વર્લ્ડ કપનો ફુલ શેડયુલ રજૂ કરાયુ છે. આઈસીસીની આ જાહેરાતની સાથે જ ભારતીય ફેંસની આ વાતમાં ઉત્સુકતા વધી ગઈ છે કે ટીમનો ચિર-પ્રતિદ્બંદી પાકિસ્તાનની સાથે મેચ ક્યારે થશે. તમને જણાવીએ કે આ હાઈ વોલ્ટેજ મુકાબલો 24 ઓક્ટોબરને રમાશે. આ વાતની જાહેરાત પહેલા જ થઈ ગઈ હતી. કે બન્ને ટીમએ આ ટૂર્નામેંટમાં સામ-સામે થશે પણ ત્યારે તારીખની જાહેરાત નથી થઈ હતી. 
 
ICC એ રજૂ કર્યુ ટી-20 વર્લ્ડ કપનો આખુ શેડયૂલ જાણો ભારત કયારે-કયારે રમશે મેચ 
જણાવીએ કે આઈસીસી પહેલા જ 17 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી ઓમાન અને સંયુક્ત અરબ અમીરાતમાં બીસીસીઆઈ દ્વારા આયોજીત થતા આ વર્લ્ડ કપના ગ્રુપોની જાહેર્રાત કરી છે. ભારત અને પાકિસ્તાનને સુપર 12ના ગ્રુપ-2માં રખાયુ છે. તેની સાથે આ ગ્રુપમાં અફગાનિસ્તાન અને ન્યુઝીલેંડ પણ છે. સુપર 12ના ગ્રુપ સ્ટેજમાં ભારતને 5 મેચ રમવાના છે જેમાંથી 4 મુકાબલા દુબઈમાં રમાશે જ્યારે 1 મેચ અબુધાવીમાં હશે. એટલે કે આ સમયે નક્કી છે કે ભારત શારજાહમાં કોઈ મેચ નથી રમાશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર