રાજ્યમાં સચિવાલય સહિત સરકારી કચેરીઓ 1 જૂનથી શરૂ

સોમવાર, 1 જૂન 2020 (09:33 IST)
આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ના  કર્મચારીઓ અને કચેરીઓ માટે  એસ.ટી દ્વારા ચલાવવા માં આવતી અમદાવાદ ગાંધીનગર ની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂન થી માત્ર અમદાવાદ મહાનગર ના કન્ટેઈનમેન્ટ ઝોન  સિવાય ના વિસ્તારોમાંથી  ગાંધીનગર  આવવા શરુ કરવામાં આવશે. 
 
વાહન વ્યવહાર મંત્રી શ્રી આર સી ફળદુ એ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગૃહ વિભાગ ના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ  બસની કુલ  પેસેન્જર કેપેસિટી ના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ  કોઈ પેસેન્જર  આ પોઇન્ટ સેવા ની બસમાં ઊભા રહી ને મુસાફરી નહિ કરી શકે 
આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચે ના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ
એટલુજ નહિ મુસાફરો એ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન  અને ફરજિયાત માસ્ક નો ઉપયોગ પણ કરવાનો રહેશે
બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરો નું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે
 આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે
આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર