પિતા મુકેશ અંબાણીએ હિંમત આપીઃ અનંત અંબાણી
અનંત અંબાણીએ તે સમયને પણ યાદ કર્યો જ્યારે તેમણે તેમના પિતા મુકેશ અંબાણીને આધ્યાત્મિક યાત્રા પર જવાના નિર્ણય વિશે જણાવ્યું હતું. તેમણે જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા કરવા માટે પ્રેરણા આપવા બદલ તેમના પિતાનો પણ આભાર માન્યો હતો. તેણે કહ્યું કે જ્યારે મેં મારા પિતા (મુકેશ અંબાણી)ને કહ્યું કે હું આ પદયાત્રા કરવા માંગુ છું ત્યારે તેમણે મને ખૂબ હિંમત આપી.