સોમવાર વહેલી સવારે ગુજરાતની ધરા ધ્રૂજી, અનુભવાયા ભૂકંપના આંચકા

સોમવાર, 17 મે 2021 (07:54 IST)
ગુજરાતના રાજકોટમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આજે વહેલી સવારે 3:37 વાગે ભૂકંપના આંચકાથી રાજકોટના દક્ષિણી વિસ્તારમાં ધરા ધ્રૂજી ઉઠી હતી. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
આ પહેલાં શનિવારે પૂર્વોત્તરનું રાજ્ય મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું. શનિવારે સવારે 10:12 વાગે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના અનુસાર ભૂકંપનું કેંદ્ર ઉખરૂલમાં હતું. ભૂકંપના આ આંચકાના લીધે કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર