રાજકોટમાં નવરાત્રિ પહેલા કોરોના ત્રાટક્યો, 57 વર્ષના વેપારીનું સારવાર દરમિયાન મોત

શુક્રવાર, 6 ઑક્ટોબર 2023 (12:45 IST)
રાજકોટના એક 57 વર્ષીય વેપારીનું કોરોનાના નવા વેરીઅન્ટને કારણે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 
 
ગુજરાતમાં આ વર્ષે નવરાત્રી પર ઘણા જોખમ તોળાઇ રહ્યા છે,  નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે, આ તહેવાર માટે ગુજરાતીઓને ભારે થનગનાટ હોય છે. ત્યારે તે પહેલા જ ગુજરાતમા કોરોનાએ દસ્તક દીધી છે. રાજકોટમાં કોરોનાના નવા વેરિયન્ટએ પ્રથમ ભોગ લીધો છે. 
 
ખાનગી હોસ્પિટલમાં મોત થતા PPE કીટ સાથે વેપારીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર