#મનેખબરનથીથી ટ્રેંડ થયા સીએમ રૂપાણી, કોરોનાના આંકડામાં ગોટાળા પર પત્રકારને કહ્યું હતું

મંગળવાર, 7 જુલાઈ 2020 (17:53 IST)
અમદાવાદ પછી બીજા હોટસ્પોટ બનેલા સુરતમાં કોરોનાના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. તેના લીધે ગત શનિવારે સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્ય્મંત્રી નીતિન પટેલ કોરોના વાયરસથી બચાવ કાર્યોનું નિરિક્ષણ કરવા સુરત પહોંચ્યા હતા. તેમણે મનપા કમિશ્નર, અધિકારીઓ, ધારાસભ્યો તથા ડોક્ટર્સ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીને એક પત્રકારને પ્રશ્ન કર્યો હતો કે કાલે જિલ્લામાં કોરોના પોઝિટિવના 58 કેસ નોંધાવ્યા છે, પરંતુ તમ્ને ફક્ત 14 જ બતાવ્યા હતા.? જેના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે મને ખબર નથી. મુખ્યમંત્રીનો આ જવાબ આજે ગુજરાતમાં ટ્વિટર પર #મનેખબરનથી ટ્રેન્ડ કરી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર