ચંદ્રયાન-3નું લેન્ડર વિક્રમ ચંદ્ર પર સૂઈ રહ્યું છે, પરંતુ તેના ડેટાના સંશોધનમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. વિક્રમ લેન્ડર પર ઘણા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યા છે, જેમાં તેણે તેના લુપ્ત થતા પહેલા ડેટા એકત્રિત કર્યો હતો. તે માહિતી અનુસાર ચંદ્રની ધરતી પર એક દુર્લભ વસ્તુ મળી આવી છે. ચંદ્રયાન-3 મિશન જેની શોધમાં છે તે ચંદ્ર પર મળી શકે છે. હા, ચંદ્ર પર પહેલા કરતા વધુ પાણીનો બરફ હોઈ શકે છે.
ચંદ્રયાન-3 પરના સાધનોમાંથી એકના ડેટાનું વિશ્લેષણ સૂચવે છે કે ચંદ્રના ધ્રુવીય પ્રદેશોના બહારના વિસ્તારોમાં પાણીનો બરફ હોઈ શકે છે. અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીમાં સરફેસ થર્મોફિઝિકલ એક્સપેરીમેન્ટ (ChaSTE)ના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી એકત્ર કરાયેલા ડેટા પર સંશોધન કરીને તેમના રિપોર્ટમાં ચંદ્ર પર જીવનના ચિહ્નો મળવાની સંભાવના વ્યક્ત કરી હતી, જે જો સાચી સાબિત થશે તો ચંદ્ર પર માનવ વસાહત સ્થાપવાનું વૈજ્ઞાનિકોનું સ્વપ્ન સાકાર થઈ શકે છે