AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડગામમાં કહ્યું, 'અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં'

સોમવાર, 16 મે 2022 (16:40 IST)
AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડગામના મજાદર ખાતે સભા સંબોધી હતી. વિધાનસભાની ચૂંટણીને લઈ વડગામ બેઠક પર ચૂંટણીલક્ષી સભા યોજીને ઓવેસીના ઉમેદવારને જિતાડવાની અપીલ કરી હતી. જ્યારે ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે હું અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં.વડગામના મજાદર ખાતે આવેલા ઓવૈસીએ હિજાબને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. હિજાબ મુસ્લિમોનો બંધારણીય અધિકાર છે અને અધિકાર કોઈ છીનવી નહીં શકે. ભાજપ હિન્દૂઓને મુસ્લિમોના વિરુદ્ધ ભડકાવે છે. ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે હું અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં. જ્યારે મસ્જિદને લઇ જ્ઞાનવાપી મસ્જિદ છે અને એ રહેશે,
મુસલમાન મસ્જિદ નહીં ખોવે એવું નિવેદન કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર