જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, ચાર લોકોના મોત

બુધવાર, 19 એપ્રિલ 2023 (12:42 IST)
જામનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જામનગર હાઇવે પર પડધરી પાસે ટ્રેક્ટર અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કાર પડધરી તરફ જઇ રહી હતી. જ્યારે સામેથી ટ્રેક્ટર આવી રહ્યું હતુ. આ બંને વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો છે.હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ચાર મૃતકોમાં ત્રણ લોકો રાજકોટના છે અને એક મૃતક અન્ય જગ્યાનો છે.આજે વહેલી સવારે થયેલા આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર