Rakshabandhan 2023- રક્ષાબંધન ક્યારે છે, શુભ મુહૂર્ત અને ક્યારથી શરુ

સોમવાર, 15 મે 2023 (10:38 IST)
Rakshabandhan 2023- રક્ષાબંધનો તહેવાર આ વર્ષે 30 ઓગસ્ટને છે. રક્ષાબંધન શ્રાવણ મહિનામાં પૂર્ણિમાના દિવસે અથવા પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે બુધવાર, 30 ઑગસ્ટ ના દિવસે આવી રહી છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે. 
 
રાખડી બાંધવાનો શ્રેષ્ઠ સમય અથવા રાખડી શુભ મુહૂર્ત બુધવાર, 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યે શરૂ થશે અને ગુરુવાર, 31 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યે સમાપ્ત થશે.

ભારતના ઈતિહાસમાં આવું વધારે એક ઉદાહરણ મળી આવે છે કે જ્યારે ચિત્તોડની રાણી કર્માવતીએ બહાદુરશાહની સામે હુમાયુની રક્ષા માટે તેને રાખડી બાંધી હતી. હુમાયુ તેની રક્ષા માટે સંપુર્ણ પ્રયત્નો કરે છે પરંતુ દુશ્મનોના આગળ વધતાં પગલાંઓને તે રોકી નથી શકતો અને છેલ્લે રાણી કર્માવતી જૌહર વ્રત ધારણ કરી લે છે. 

Edited By-Monica Sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર