Raksha bandhan 2024 Shubh Muhurt : ક્યારે છે રક્ષા બંધન, જાણો રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત

શનિવાર, 17 ઑગસ્ટ 2024 (10:02 IST)
Raksha Bandhan shubh muhurat
 રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ 2024, સોમવાર, પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવશે. આ દિવસે ભદ્રા પાતાળ લોકમાં  વાસ કરશે. જ્યોતિષીય માન્યતા અનુસાર, જો ભદ્રા પૃથ્વીલોકની હોય તો જ તેના નિયમો માન્ય હોય છે. કેટલાક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભદ્રા જ્યાં પણ રહેતી હોય, તેનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ.

 
રક્ષાબંધન પર ભદ્રા કાળ -
રક્ષાબંધન ભદ્રા સમાપ્તિનો સમય- બપોરે 01:30 વાગ્યા પછી.
રક્ષાબંધન ભદ્રા પૂંછ- સવારે 09:51 થી 10:56 સુધી.
રક્ષાબંધન ભાદ્ર મુખ - સવારે 10:56 થી બપોરે 12:37 સુધી.
 
 રક્ષાબંધન પર રાખડી બાંધવાનુ શુભ મુહુર્ત -
રાખડી બાંધવાનો સમય: બપોરે 01:34 થી 09:07.
રક્ષાબંધન બપોરનુ શુભ મુહૂર્ત: 01:42 થી 04:19 વાગ્યા સુધી.
રક્ષાબંધન પ્રદોષ શુભ મુહૂર્ત: સાંજે 06:56 થી 09:07 સુધી.
 
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શુભ મુહૂર્ત :-
શુભ મુહૂર્ત: બપોરે 2:00 થી 6:55 સુધી.
શ્રેષ્ઠ મુહૂર્ત: બપોરે 3:30 થી 6:45 સુધી.
પંચક: પંચક સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે. તેથી સાંજે 7 વાગ્યા પહેલા રાખડી બાંધી લેવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર