તેમણે કહ્યુ, ' અમે રાજ્યમાં આંદોલનના બીજા ચરણ માટે યોજના તૈયાર કરવા માટે પ્રદેશમાં અમારા બધા 137 નેતાઓની આજે સાંજે બેઠક બોલાવી છે. અમે કાલે સૂરતથી આંદોલન શરૂ કરીશુ. અમે આ વખતે તાલુકા અને ગામ સ્તર પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીશુ. હાર્દિકે દાવો કર્યો કે આંદોલનના બીજા ચરણમાં આખા દેશનુ ધ્યાન આકર્ષિત કરીશુ.
તેમણે હવાઈ મથક પર સંવાદદાતાઓએન કહ્યુ, 'અમે અમારા આગામી કાર્યક્રમો અને રાજ્યમાં થનારી રેલીઓ વિશે આવતીકાલે સત્તાવાર જાહેરાત કરીશુ. આ વખતે આખા દેશની નજર અમારા કાર્યક્રમ પર હશે. અમે મહાત્મા ગાંધી દ્વારા બતાવેલ રસ્તા પર ચાલીશુ.' આંદોલનના પહેલા ચરણમાં હાર્દિક અને તેમના સમુહના રાજ્યના વિવિધ ભાગોમાં રેલીઓનુ આયોજન કર્યુ હતુ. અમદાવાદમાં 25 ઓગસ્ટના રોજ તેમની મેગા રેલી પછી હિંસા થઈ હતી જેમા 10 લોકોનુ મોત થઈ ગયુ હતુ.
હાર્દિકે વિવિધ સંગઠનોના પત્ર પણ બતાવ્યા જેમણે સમર્થન આપ્યુ છે. આ સંગઠનોમાં ગુજ્જર વિકાસ પરિષદ, કુર્મી ક્ષત્રિય મહાસભા, અંજાના ચૌધરી સમાજ, રાષ્ટ્રીય ગુજ્જર મંચનો સમાવેશ છે. તેમણે કહ્યુ, 'હવે આખા દેશમાંથી અમર્થન મળી રહ્યુ છે. ગુજ્જર, કુર્મી, ચૌધરીઅને અને અનેક બીજા અમારી સાથે છે. અમારુ આંદોલન અન્ય ભાગમાં પણ ફેલાશે. આવનારા દિવસોમાં અમે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં એક રેલી કરવાની યોજના બનાવી છે. હાર્દિક મુજબ પટેલ, ગુજ્જર, અને કુર્મીની કુલ વસ્તી 27 કરોડ છે.
તેમણે કહ્યુ, 25 ઓગસ્ટ પહેલા અમે 37 રેલીઓ આયોજીત કરી અને કોઈમાં પણ આવી હિંસા નથી થઈ. હુ હિંસા ભડકાવવા માટે પોલીસ અને ગુજરાત સરકારને જવાબદાર માનુ છુ. અમે હંમેશા ગાંધીજી દ્વારા બતાવેલ રસ્તાનુ અનુકરણ કર્યુ.