તેમના પર બે મામલા ચાલી રહ્યા છે. પ્રથમ સૂરતમાં બીજો અમદાવાદમાં. સૂરતવાળા મામલામાં તેમના પર એક વ્યક્તિને કથિત રૂપે પોલીસ કર્મચારીઓની હત્યા કરવા માટે ઉપસાવવાનો આરોપ છે. અમદાવાદ મામલે હાર્દિકના મિત્રો પર લોકોએ સરકાર વિરુદ્ધ હિંસા કરવા માટે ઉપસાવવાનો આરોપ છે. હાર્દિકની પોલીસે ધરપકડ કરી તો તેના મિત્રોએ લોકોને ફોન કરીને હિંસા કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલામાં હાર્દિક પર રાજદ્રોહની ધારાઓ લગાવવામા6 આવી છે. જો કે હાર્દિક આજે જેલમાંથી છૂટશે નહી કારણ કે વિસનગરમાં હિંસા મામલામાં જામીનની અરજી હજુ કોર્ટમાં પ્રતિક્ષામાં છે.