પટેલ આંદોલનથી ગુજરાતને હલાવી દેનારો હાર્દિક પટેલે દિલ્હી કૂચની તૈયારી કરી લીધી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિકે દિલ્હી આવીને આંદોલનની રૂપરેખા નક્કી કરવાની વાત કરી છે. એક ઈંટરવ્યુમાં હાર્દિકે કહ્યુ કે તે દિલ્હી આવીને ગુર્જર અને જાટ આંદોલન નેતાઓ સાથે મુલાકાત કરશે. દિલ્હીમાં યુપી અને એમપીના પાટીદાર સમુહના લોકો સાથે ભવિષ્યના આંદોલનની રૂપરેખા લઈને વાત પણ કરશે. ગુજરાતની સીએમ આનંદીબેન પર હાર્દિકે કહ્યુ કે બીજેપી મારી સ્વાભાવિક પસંદગી રહી છે. પણ તેના નેતા નહી. આનંદીબેન અમારી માંગ સ્વીકાર કરશે. ભલે સમય લાગશે પણ તે સ્વીકારશે.