યુપીમાં મોટી દુર્ઘટના- મંત્રીની કારથી કચડાતા 3 લોકોના મોત, ઉશ્કેરાયેલા ખેડૂતોએ સળગાવી મૂકી બે ગાડીઓ

રવિવાર, 3 ઑક્ટોબર 2021 (17:24 IST)
યુપીના લખીમપુર ખીરીના તિકુનિયામાં મંત્રી કેશવ પ્રસાદ મૌર્યના કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના ગામડા બનવીર પહોંચવાની ખબર પર રવિવારે હજારો ખેડૂતો ઉપમુખ્યમંત્રીને કાળા ઝંડા જોવા ઉભા હતા. 
 
કાફલાની ગાડીઓ નીચે કચડાયા બે ખેડૂતો ઉશ્કેરાયેલા ખેડૂતોએ સાંસદના પુત્રની બે ગાડીઓને સળગાવી મૂકી 
 
લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના તેમના ગામના પ્રવાસે આવવાના હતા.  ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમને રિસિવ કરવા આવવાના હતા પરંતુ તેમના આગમન પહેલા ખેડૂતોએ હેલિપેડ પર કબજો જમાવી દીધો હતો અને તેમને અહીં ઉતરવા દેવા માગતા નહોતા. પ્યુટી સીએમને રિસિવ કરવા આવેલા ભાજપ નેતાના પુત્ર આશીષ મિશ્રાની સામે વિરોધ દરમિયાન ખેડૂતો સાથે ટક્કર થઈ હતી. આરોપ છે કે ભાજપના નેતાઓએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી જેમાં 3 લોકોના મોત થયા હતા તથા 8 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાથી ઉશ્કેરાયેલા ખેડૂતોએ 2 ગાડીઓને સળગાવી મૂકી હતી. 
 
યુપીના લખીમપુર ખીરીના તિકુનિયામાં મંત્રી કેશવ પ્રસાદ મૌર્યના કેંદ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના ગામડા બનવીર પહોંચવાની ખબર પર રવિવારે હજારો ખેડૂતો ઉપમુખ્યમંત્રીને કાળા ઝંડા જોવા ઉભા હતા. 
 
કાફલાની ગાડીઓ નીચે કચડાયા બે ખેડૂતો ઉશ્કેરાયેલા ખેડૂતોએ સાંસદના પુત્રની બે ગાડીઓને સળગાવી મૂકી 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર