સંજય રાઉત : શિવસેનાના નેતાના ઘરે EDના દરોડા, 1,034 કરોડનું જમીનકૌભાંડ શું છે?

રવિવાર, 31 જુલાઈ 2022 (10:29 IST)
સમાચાર સંસ્થા ANI અનુસાર આજે સવારે ઈડીની ટીમ સંજય રાઉતના નિવાસસ્થાને પહોંચી હતી. આ તપાસનું કનેક્શન પતરા ચોલ જમીન કૌભાંડ કેસ સાથે હોવાનું માનવામાં આવે છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે આ સંદર્ભે રાઉતની ઈડીએ પૂછતાછ પણ કરી છે. સવારે સાત વાગ્યે જ સંજય રાઉતના નિવાસસ્થાને ઈડીની ટીમ પહોંચી ગઈ હતી.
 
એજન્સી અનુસાર સંજય રાઉતને ઈડી દ્વારા 28 જૂને 1,034 કરોડના 'પતરા ચોલ જમીન કૌભાંડ' મામલે સમન્સ પાઠવવામાં આવ્યા હતા.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર