Puri Jagannath Rath Yatra : પુરીમાં રથયાત્રાના દરમિયાન મચી નાસભાગ 400 શ્રદ્દાળુ ઈજાગ્રત એકની મોત

સોમવાર, 8 જુલાઈ 2024 (12:33 IST)
Puri Jagannath Rath Yatra : આસ્થા અને ભક્તિનો પર્વ રથયાત્રા રવિવારન ઓડિશાના પુરીમાં તે સમયે દુખદ વળાંકમાં લઈ લીધુ જ્યારે ભગવાન બલભદ્રના રથ તાલધ્વજને ખેંચવાના દરમિયાન નાસભાગ મચી ગઈ.
 
આ અકસ્માતમાં એક શ્રદ્ધાળુનું મોત થયું હતું, જ્યારે 400થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. નાસભાગમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. આ માનું એક
 
એક પોલીસ કર્મચારીનો પગ ભાંગી ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
 
અકસ્માત બાદ સ્થળ પર હોબાળો મચી ગયો હતો. ઘાયલોને પુરી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં સારવાર ચાલી રહી છે. ઘટનાની માહિતી મળતા જ આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગ હોસ્પિટલ પહોંચ્યા અને
 
ઘાયલોની ખબર-અંતર પૂછવા.
 
સાંજ જેમ જેમ નજીક આવતી ગઈ તેમ તેમ વાતાવરણમાં નીરવ શાંતિ છવાઈ ગઈ.
રવિવારે પુરીમાં રથયાત્રાની ઉજવણી ચરમસીમાએ હતી. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યા હતા. સાંજે લગભગ 5:20 વાગ્યે પુરીના શંકરાચાર્ય સ્વામી
 
નિશ્ચલાનંદ સરસ્વતીએ રથનું પૂજન કર્યું હતું અને ચેરા પહારા વિધિ કરી હતી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર