પીએમ નરેન્દ્ર મોદીને મળશે ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન જણાવ્યુ મુશ્કેલ સમયનો સાથી

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (12:03 IST)
ભૂતાનમાં સન્માનિત થશે PM મોદી- ભૂટાન સરકારે પીએમ નરેન્દ્ર મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન  નગદગ પેલજી ખોરલો થી સમ્માનિત કરવાનો ફેસલો કર્યો છે. આ જાણકારી ભૂટાન પીએમ લોટે શેરિંગએ આપી છે. 
 
શેરિંગે કહ્યું છે કે પીએમ મોદીએ વર્ષોથી બિનશરતી મિત્રતા નિભાવી છે અને કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન ખૂબ મદદ કરી છે. શેરિંગે કહ્યું કે તેમણે પીએમ મોદીને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે જોયા છે.
 
આ સાથે, ભારત ભૂટાનનો અગ્રણી વેપાર ભાગીદાર પણ છે, જેમાં બંને દેશો વચ્ચે મુક્ત વેપાર વ્યવસ્થા અસ્તિત્વમાં છે. ભારતે કોરોના સમયગાળા દરમિયાન ભૂટાનને શક્ય તમામ મદદ કરી છે. ભૂટાનને કોવિડની અનેક લાખ રસીઓ મફતમાં આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર