લાલ કિલ્લાથી પીએમ મોદીની જાહેરતા- 75 અઠવાડિયામાં 75 વંદેભારત ટ્રેન દેશના દરેક ખૂણાને જોડાશે

રવિવાર, 15 ઑગસ્ટ 2021 (09:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીની 75મી જન્મજયંતીના અવસરે લાલ કિલ્લાની પ્રાચીરથી દેશને આપેલ તેમના સંબોધનમાં આ જાહેરાત કરી કે 75 અઠવાડિયાની અંદર 75 વંદે ભારત ટ્રેન દેશના દરેક ખૂણાને 
આપસમાં જોડશે. જણાવીએ કે દેશમ અત્યારે બે રૂટ પર વંદેભારત એક્સપ્રેસ ચાલી રહી છે. વંદેભારત સેમી હાઈ સ્પીડ ટ્રેન મેક ઈન ઈંડિયાના હેઠણ બનાવાઈ રહી છે અને આ 90 ટકા સુધી સ્વદેશી છે. 
પીમે મોદીએ તેમના ભાષણમા કહ્યુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે દેશએ સંકલ્પ લીધુ છે. કે આઝાદીના અમૃત મહોત્સવના 75 અઠવાડિયામાં 75 વંદે ભારત ટ્રેન દેશના દરેક ખૂણાનને આપસમાં જોડી રહી હશે. આજે જે ગતિથી દેશમાં નવા એયરપોર્ટસનો નિર્માણ થઈ રહ્યુ હ્ચે. ઉડાન યોજના દૂરના ક્ષેત્રને જોડી રહી છે. તે પણ અભૂતપૂર્વ છે. ભારતને આધુનિક ઈંફ્રાસ્ટ્રકચરની સાથે જ ઈંફ્રાસ્ટ્રકચર નિર્માણમાં હોસ્ટિક અપ્રોચ અજમાવવાની પણ જરૂર છે. ભારત આવનાર થોફાજ સમયમાં પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને લાંચ કરી રહ્યુ છે. 
 
પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હીથી વારાણસીના વચ્ચે ફ્રેબ્રુઆરી 2019માં ચલાવી હતી. ત્યારબાદ ઓક્ટોબર 2019માં આ ટ્રેન નવી દિલ્હી અને કટરા વચ્ચે ચલાવી હતી. 
 
નવા રેલ મંત્રી અશ્વિણી વૈષ્ણવની પણ પ્રથમ પ્રમુખતા આ ટ્રેન છે. ખબરો મુજબ રેલ મંત્રાલયએ પણ આવતા વર્ષે એટલે કે ઓગસ્ટ 2022 સુધી એવી 10 નવી ટ્રેન ચલાવીને 10 શહરોને જોડવાની યોજના બનાવી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર