4 હજાર કમાવાની તક: ખેડૂતો પાસે છે આ તારીખ સુધીમાં 4000 રૂપિયા મેળવવાનો મોકો, ફટાફટ આ કામ પતાવી દેજો, ખાતામાં આવી જશે રૂપિયા

રવિવાર, 19 સપ્ટેમ્બર 2021 (12:29 IST)
ખેડૂતો માટે એક સારા સમાચાર છે. PM કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓને 4,000 રૂપિયા મળવા માટે માત્ર 11 દિવસ બાકી છે. એટલે કે, જો તમે હજુ સુધી PM કિસાન સન્માન નિધિ (PM KISAN) અંતર્ગત નોંધણી કરાવી નથી, તો 30 સપ્ટેમ્બર સુધીમાં તરત જ કરાવી લો. આવી સ્થિતિમાં તેને 4,000 રૂપિયા મળશે, તેને સતત બે હપ્તા મળશે. 
 
આ રીતે રજીસ્ટ્રેશન કરાવો
PM કિસાનની વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ. અહીં તમે ફાર્મર કોર્નર્સ જોવા મળશે. ત્યાં જાઓ અને New Farmer Registration ક્લિક કરો. આ પછી, તમારે આધાર અને બેંક ખાતા વગેરે સંબંધિત માહિતી આપતા ફોર્મ ભરવાનું રહેશે.
હપતો ક્યારે આવે છે તે જાણો છો?
 
ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયા મોકલવામાં આવે છે. દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આવે છે. પીએમ કિસાન પોર્ટલ અનુસાર, યોજનાનો પ્રથમ હપ્તો 1 ડિસેમ્બરથી 31 માર્ચ વચ્ચે આવે છે. બીજો હપ્તો 1 એપ્રિલથી 31 જુલાઈ વચ્ચે ખેડૂતોના ખાતામાં પહોંચે છે. ત્રીજો હપ્તો 1 ઓગસ્ટથી 30 નવેમ્બર વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર