પાકિસ્તાન વિરુદ્ધ ભારતે લીધા કેટલાક મોટા નિર્ણય
પહેલગામ આતંકી હુમલા બાદ પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સુરક્ષા સમિતિ (સીસીએસ)ની એક તત્કાલ બેઠક બોલાવાઈ. આતંકવાદીઓના આકા પાકિસ્તાન વિરુદ્ધ મોટા નિર્ણયો લેવામાં આવ્યા. ભારતે સિંધુ જળ સંધિ (1960) ને તત્કાલ પ્રભાવથી રદ્દ કરી દેવામાં આવી અને કહ્યુ કે આ સંધિ ત્યારે ચાલુ થશે જયારે પાકિસ્તાન સીમા પાર આતંકવાદને સમર્થન આપવુ બંધ કરશે.