Odis ha Train Accident : માલગાડીના ડિબ્બા પાટાથી ઉતરીને સ્ટેશન પર આવી ગયા

સોમવાર, 21 નવેમ્બર 2022 (12:42 IST)
આજે સવારે 6.44 વાગ્યે કોરઇ રેલવે સ્ટેશન પર એક માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ખડી પડતા આ પ્લેટફોર્મ પર બની રહેલા વેઇટીંગ રુમ સુધી પહોંચતા બે લોકોની મોત થઈ છે અને ઘણા દટાયેલા હોવાની શકયતા છે. રાહત કાર્ય ચાલુ છે. આ દુર્ઘટના પર ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકએ શોક જાહેર કર્યો છે અને પીડિતોના પરિવારને 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 
ઓરિસ્સાના કોરાઈ રેલ્વે સ્ટેશન પર એક મોટી દુર્ઘટના થઈ કોરાઈ રેલ્વે સ્ટેશન પર માલગાડીના 12 ડબ્બા પાટાથી ઉતરી ગયા. જણાવી રહ્યુ છે કે અનિયંત્રિત માલગાડી ટ્રેન પાટાથી ઉતરીને પ્લેટફાર્મ પર પહોચી ગઈ. તે રેલ્વે સ્ટેશનના ટિકટ કાઉંટરથી અથડાઈ. તે પછી એક-એક કરીને માલગાડીના ડબ્બા પલટી ગયા. આ દુર્ઘટનામાં 2 લોકોની મોત થઈ છે અને અત્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્ટેશનને ખૂબ નુકશાન પહોંચ્યો છે. એવી શકયતા જણાવી રહી છે કે માલગાડીના ડબ્બાના સ્ટેશન પર ખડી પડતા કેટલાક લોકો તેના નીચે દટાયેલા હોઈ શકે છે. મૃતકોની સંખ્યા વધવાનો પણ અંદાજો છે.  
(Edited BY-Monica Sahu) 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર