આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં રવિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતા 8 કામદારોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ગૃહમંત્રી અનિતાએ આ સૂચના આપી હતી
રાજ્યના ગૃહમંત્રી અનિતા આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ કામદારોને સારી સારવાર આપવા સૂચના આપી છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારોને આર્થિક મદદ કરવાની ખાતરી પણ આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે ઘાયલોના હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા.