નોટબંધી પછી મોદી સરકારે કાળાનાણા રાખનારાઓને એક તક વધુ આપી છે. રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ શુક્રવારે કહ્યુ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 31 માર્ચ 2017 સુધી કોઈપણ પોતાની બ્લેકમની જાહેર કરી શકે છે. આગામી ત્રણ મહિના દરમિયાન તમને 50 ટકા ટેક્સ અને પેનલ્ટી સાથે ગુપ્ત આવકનો ખુલાસો કરી શકશો. બીજી બાજુ સરકરારે જનતાને ઈમેલ દ્વારા બ્લેકમની રાખનારાઓ વિશે માહિતી માંગી છે. માહિતી આપનારાઓની ઓળખ ગોપનીય રાખવામાં આવશે.
બ્લેકમની જાહેર કરનારાઓની ઓળખ રહેશે ગુપ્ત
રાજસ્વ સચિવ હસમુખ અધિયાએ જણાવ્યુ કે નવી આવકવેરા ઘોષણા યોજના 17 ડિસેમ્બરથી શરૂ થશે. જાહેરાત કરનાર વ્યક્તિનુ નમ ગુપ્ત રાખવામાં આવશે. યોજના હેઠળ તેને કુલ જાહેર રકમના 50 ટકા ભાગ દંડ પેટે ચુકવવો પડશે. સાથે જ 25 ટકા રકમ ચાર વર્ષ માટે લૉક કરવામાં આવશે.
અધિયાએ કર કાયદા સંશોધનની માહિતી આપતા સ્પષ્ટ કર્યુ કે જાહેરાત કરનારા વ્યક્તિને પીએમએલએ, તસ્કરી, બેનામી સંપત્તિ અને ફૉરેન એક્સચેંજ સહિત અન્ય અપરાધિક કાયદામાંથી છૂટ નહી મળે. સંબંધિત વ્યક્તિને ફક્ત કાળાનાણા કાયદાથી જ મુક્તિ મળશે.
તેમણે કહ્યુ, 'લોકોને મારી વિનંતી છે કે તેમની પાસે કાળા નાણાની કોઈ પણ સૂચના હોય તો તે આ ઈમેલ પર મોકલી શકે છે. તેમણે એ પણ કહ્યુ કે કોઈને આ ગેરસમજ ન રાખવી જોઈએ કે પૈસા બસ બેંકમાં જમા કરી દેવા ભરથી તેમનુ કાળુ નાણું સફેદ નહી થઈ જાય.