MiG-21 Aircraft Crashed: પંજાબમાં વાયુસેનાનુ MiG-21 લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, સ્ક્વાડ્રન લીડર અભિનવ ચૌધરીનુ મોત

શુક્રવાર, 21 મે 2021 (09:42 IST)
પંજાબમાં મોગા પાસે ગુરૂવારે મોડી રાત્રે ભારતીય વાયુસેનાનુ એક મિગ 21 લડાકૂ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ. દુર્ઘટના સમયે વિમાન નિયમિત પ્રશિક્ષણ ઉડાન પર હતુ. આ દુર્ઘટનામાં સ્ક્વાડ્રાન લીડર અભિનવ ચૌધરીનુ મોત થઈ ગયુ. ભારતીય વાયુસેનાએ શોક વ્યક્ત કર્યો છે અને વિમાનની દુર્ઘટનાના કારણો જાણવા માટે કોર્ટ ઓફ ઈંકવાયરીનો આદેશ આપવામાં આવ્યો કહ્હે. આ માહિતી ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આપી છે. 

 
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ટ્રેનિંગ સેશન દરમિયાન પાયલોટ અભિનવ ચૌધરીએ મિગ-21થી રાજ્સથાનના સુરતગઢથી ઉડાન ભરી હતી, પરંતુ મોગામાં એરક્રાફ્ટ ક્રેશ થઈ ગયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર