એક સ્થાનિક રહેવાસીએ આ સમગ્ર ઘટનાને લઈને NHRCમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલમાં કામ કરતા એક ડોક્ટરે દાવો કર્યો હતો કે તે વિદેશથી શિક્ષિત અને પ્રશિક્ષિત છે. ડૉક્ટરે તેનું નામ 'ડૉ એન જોન કેમ' આપ્યું. જોકે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અસલી નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે.
ઓપરેશનને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા
NHRCને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરે દર્દીઓને ગેરમાર્ગે દોરવા માટે યુનાઇટેડ કિંગડમના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર જોન કેમના નામનો દુરુપયોગ કર્યો હતો.