લંડનના પ્રખ્યાત ડોક્ટર હોવાનો ડોળ કરીને હૃદયનું ઓપરેશન કરાવ્યું, નકલી કાર્ડિયોલોજિસ્ટની સારવારથી 7ના મોત

રવિવાર, 6 એપ્રિલ 2025 (16:30 IST)
મધ્યપ્રદેશના દમોહમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં નકલી ડોક્ટરે ઓપરેશન કરીને સાત દર્દીઓના જીવ લીધા હતા. સ્થાનિક લોકોનો આરોપ છે કે ખાનગી મિશનરી હોસ્પિટલમાં નકલી ડૉક્ટર દર્દીઓનું ઓપરેશન કરે છે. જેના કારણે સાત દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
 
એક સ્થાનિક રહેવાસીએ આ સમગ્ર ઘટનાને લઈને NHRCમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલમાં કામ કરતા એક ડોક્ટરે દાવો કર્યો હતો કે તે વિદેશથી શિક્ષિત અને પ્રશિક્ષિત છે. ડૉક્ટરે તેનું નામ 'ડૉ એન જોન કેમ' આપ્યું. જોકે, એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અસલી નામ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ છે.
 
ઓપરેશનને કારણે સાત લોકોએ જીવ ગુમાવ્યા હતા
NHRCને ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ડૉક્ટરે દર્દીઓને ગેરમાર્ગે દોરવા માટે યુનાઇટેડ કિંગડમના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પ્રોફેસર જોન કેમના નામનો દુરુપયોગ કર્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર