કોટામાં શિવયાત્રામાં કરંટ ફેલાયો - ઝંડો હાઈટેંશન લાઈન સાથે ટચ થવાથી થઈ દુર્ઘટના, 14થી વધુ બાળકો દઝાયા

શુક્રવાર, 8 માર્ચ 2024 (13:56 IST)
kota hadsa
 
કોટાના કુન્હાડી પોલીસ સ્ટેશનમાં મહાશિવરાત્રિના તહેવાર પર કાઢવામાં આવેલી શિવયાત્રામાં કરંટ ફેલાય ગયો. તેનાથી શિવયાત્રામાં ભાગ લઈ રહેલા 14થી વધુ બાળકો દાઝી ગયા. મામલો સગતપુરા સ્થિત કાલી બસ્તીનો છે. મળતી માહિતી મુજબ યાત્રામાં અનેક બાળકો ધાર્મિક ઝંડો લઈને ચાલી રહ્યા હતા.  
 
આ સમય દરમિયાન આ ધ્વજ હાઇ ટેન્શન લાઇનને સ્પર્શ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાંથી શિવ શોભાયાત્રા પસાર થઈ રહી હતી ત્યાંથી પાણી ફેલાઈ ગયું હતું. જેના કારણે કરંટ ઝડપથી ફેલાઈ ગયો. તમામ ઘાયલોને કોટાની એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર