દિલ્હીમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગી આગ, છ મહીનાની બાળકી સાથે નવ લોકોની મોત

સોમવાર, 23 ડિસેમ્બર 2019 (11:52 IST)
દેશની રાજધાની દિલ્હીમાં કિરાડી ક્ષેત્રમાં ત્રણ માળની બિલ્ડીંગમાં આગ લાગી ગઈ. જેનાથી દમ ઘુટવાના કારણે છ મહીનાની બાળકી સાથે નવ લોકોની મોત થઈ છે. આગ લાગવાના કારણનો ખુલાસો નથી થયુ છે. અત્યારે આગ પર નિયંત્રણ મેળવી લીધું છે. 
 
જાણકારી મુજન પાછલી રાત્રે 12.30 સુધી દિલ્હીના કિરાડી ક્ષેત્રમાં ત્રણ માળની બિલ્ડીંગમાં આગ લાગી ગઈ. આગ મકાનના ગ્રાઉંફ ફ્લોર પર બનેલા કપડા ગોડાઉનમાં લાગી હતી. જે વધતા-વધતા ત્રીજી માળ સુધી પહોંચી ગઈ. 
 
આગની ચપેટમાં આવવાથી બાળકો અને મહિલાઓની સાથે એક જ પરિવારના 9 લોકોની મોત થઈ ગઈ. આગ લાગવાના કારણ અત્યારે સાફ નથી થઈ શકયુ છે. જાણકારી મળી છે કે આગ લાગવાના કારણે ઘરમાં રાખેલુ સિલેંડર પણ બ્લાસ્ટ થઈ ગયું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર