નિર્દયી પતિ- પત્નીને જૂતાની દોરીથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, પુરાવાનો નાશ કરવા માટે લાશ સળગાવી

સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (13:24 IST)
મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં ઉલ્હાસનગરમાં એક 26 વર્ષના માણસે તેમની 25 વર્ષીય પત્નીને ગળુ દબાવીને જીવ લીધો અને તેની લાશને સળગાવી દીધું. હકીકતમાં પતિને શંકા હતી કે તેમની પત્નીનો કોઈ બીજા સાથે લફડો ચાલી રહ્યુ છે. જેના કારણે તેને જૂતાની દોરીથી પત્નીનો ગળુ બાંધી તેનો જીવ લઈ લીધું. પછી પોલીસને તેણે ગેરમાર્ગે દોરવા માટે મૃતદેહને સળગાવી દીધું.
 
ઠાણે પોલીસ શુક્રવારે તેની ધરપકડ કરી લીધુ. પોલીસ મુજબ પુરાવા અને તપાસને ગેરમાર્ગે કરવા માટે આરોપીએ તેમની પત્નીના શરીર પર ઘાસલેટ નાખી અને તેને સળગાવ્યુ. અપરાધના શિકારની ઓળખ સુશીલા સાહેબરાવ નિકલજેના રૂપમાં થઈ છે. તેના લગ્ન સૂરજ આનંદ ખરાતથી થયા હતા જે એક કેટરરની સાથે વેટરનો કામ કરતો હતો. 
 
પોલીસ મુઅજબ આરોપી સૂરજ આનંદ ખરાતને શંકા હતી કે તેમની પત્નીનો અફેયર ચાલી રહ્યુ છે અને આ કારણે બન્નેના વચ્ચે ઘણા વાર ઝગડા થયા ઓગ્સ્ટના મધ્યમં એવા જ એક ઝગડામાં ખરાતએ જૂતાની દોરીથી ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર