Coronavirus Cases in India: સંક્રમિત દર્દીઓની સંખ્યામાં મોટો ઘટાડો, સક્રિય કેસ ઘટીને 11 લાખ આસપાસ, 895ના મોત

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (10:23 IST)
દેશમાં કોરોના સંકટ વચ્ચે આજે રાહતના સમાચાર આવ્યા છે. ખરેખર, આજે કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે અને સક્રિય કેસ પણ ઝડપથી ઘટી રહ્યા છે. સોમવારે (7 ફેબ્રુઆરી) સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 83 હજાર 876 (83,876) નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલની સરખામણીમાં લગભગ 25 હજાર ઓછા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 895 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં હવે 11.08 લાખ (11,08,938) સક્રિય કેસ બાકી છે. તે જ સમયે, સાજા થનારા દર્દીઓની સંખ્યા 1.99 લાખ (1,99,054) હતી. એ પણ રાહતની વાત છે કે દૈનિક ચેપનો દર ઘટીને 7.25 ટકા પર આવી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર