મધ્યપ્રદેશ સરકારે 'કોલ્ડ્રિફ' કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. છિંદવાડામાં કિડની ફેલ્યોરને કારણે ૧૪ બાળકોના મૃત્યુ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીરપના નમૂનાઓમાં ૪૮.૬% અત્યંત ઝેરી પદાર્થ ડાયથિલિન ગ્લાયકોલ હતો.
છિંદવાડા જિલ્લામાં ૧૪ બાળકોના મૃત્યુના પગલે મધ્યપ્રદેશ સરકારે આ કાર્યવાહી કરી હતી. આ બધા બાળકોના મૃત્યુનું કારણ કિડની ફેલ્યોર હોવાનું નોંધાયું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૭ સપ્ટેમ્બરથી આમાંથી ૧૦ મૃત્યુ ફક્ત પારસિયા સબડિવિઝનમાં જ નોંધાયા હતા.