કિશ્તવાડમાં વાદળ ફાટવાથી લગભગ 60 લોકોના મોત
જમ્મુ અને કાશ્મીરમાં તાજેતરના વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે વિનાશ સર્જ્યો છે. કિશ્તવાડ જિલ્લાના ચોસીટી ગામમાં માચૈલ માતા તીર્થ માર્ગ પર વાદળ ફાટવાથી ભયાનક પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માત 15 ઓગસ્ટના રોજ થયો હતો. આ અકસ્માતમાં લગભગ 60 લોકોનાં મોત થયા હતા. જેમાં બે CISF જવાન અને ઘણા યાત્રાળુઓનો સમાવેશ થાય છે. લગભગ 50 થી 220 લોકો ગુમ થયાના અહેવાલ છે, અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.