Kanker Bus Accident - અયોધ્યાથી કાશી જઈ રહેલી બસ દુર્ઘટનાનો શિકાર, છત્તીસગઢના 4 મુસાફરોના મોત, અનેક ઘાયલ

સોમવાર, 15 સપ્ટેમ્બર 2025 (11:13 IST)
Kanker Bus Accident
 ઉત્તરપ્રદેશના જૌનપુરમાં મોટી દુર્ઘટના થઈ છે. એવુ બતાવાય રહ્યુ છે કે લાઈન બજાર પોલીસમથક ક્ષેત્રના સીહીપુર ક્રોસિંગ પાસે ડબલ ડેકર ટુરિસ્ટ બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કરથી છત્તીસગઢના 4 લોકોનુ ઘટના સ્થળ પર મોટ થઈ ગયુ છે. જ્યારે કે અડધો ડઝનથી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. સૂચના મળતા જ ઘટના સ્થળ પર પહોચેલી પોલીસે ઘાયલોને જીલ્લ આના હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મૃતકોની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.   
 
મળતી માહિતી મુજબ ટુરિસ્ટ બસ છત્તીસગઢના કાંકેર જીલ્લાથી અયોધ્યા દર્શન માટે આવ્યા હતા. દર્શન પછી મુસાફરો વારાણસી કાશી વિશ્વનાથ મંદિર જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં સીહીપુર ક્રોસિંગ પાસે બસે આગળ જઈ રહેલ ટ્રકમાં ટક્કર મારી દીધી. બસમાં કુલ 50 મુસાફરો સવાર હતા.  મૃતકોમાં આશા ભવલ, ગુલાબ, ચાલક દીપક અને એક અજ્ઞાત સામે છે. ઘાયલોની જીલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.  

 
ઘાયલોની સારવાર ચાલુ
ઘટનાની માહિતી મળતાં, પોલીસ અધિક્ષક ડૉ. કૌસ્તુભ, શહેર પોલીસ અધિક્ષક અને શહેર મેજિસ્ટ્રેટ જૌનપુર જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે ઘાયલોને મળ્યા અને તેમની સારવાર વિશે પૂછપરછ કરી. વધુ સારી સારવાર માટે ડોકટરોને સૂચનાઓ આપી. ઘાયલો અને તેમના પરિવારોને શક્ય તેટલી મદદ અને તાત્કાલિક સારવાર પૂરી પાડવાની ખાતરી પણ આપી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બસે ટ્રેલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંતુલન ગુમાવ્યું અને ટ્રેલરની જમણી બાજુએ અથડાઈ ગઈ. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો જમણો ભાગ ખરાબ રીતે નુકસાન પામ્યો હતો અને ઘણા મુસાફરો સીટોમાં ફસાઈ ગયા હતા. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર