20-25 નેતાઓની સાથે કાલે અમિત શાહથી મળશે કેપ્ટન અમરિંદર તેમની પાર્ટીના નામ અને સિંબલ પર કહી આ વાત

બુધવાર, 27 ઑક્ટોબર 2021 (13:38 IST)
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ કાલે એટલે કે ગુરૂવારે દિલ્હીમાં કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહથી દિલ્હીમાં મુલાકાત કરશે. તેની સાથે 20 થી 25 નેતા વધુ રહેશે અને કેંદ્ર સરકાર દ્વારા તાજેતર પાસ કરેલ ત્રણેય કૃષિ કાયદાને લઈને ચર્ચા કરશે. કેપ્ટન આજે પોતે ચંડીગઢમાં તેની જાણકારી આપી છે. પાર્ટી બનાવવાના સવાલ પર તેણે કહ્યુ કે સમય આવતા પર અમે બધા 117 સીટ પર લડીશ ભલે એડજસ્ટમેન્ટ સીટ હોય કે પછી અમે સ્વબળે ચૂંટણી લડીશું
 
કેપ્ટનના સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમની નવી પાર્ટીને લઈને સતત અટકળો ચાલી રહી છે. આજે, ચંદીગઢમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેણે તેના નામ અને પ્રતીક વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપ્યો. કેપ્ટને કહ્યું, હા, હું નવી પાર્ટી બનાવીશ. ચૂંટણી પંચની મંજૂરી બાદ ચૂંટણી ચિન્હ સાથેના નામની જાહેરાત કરવામાં આવશે. મારા વકીલો તેના પર કામ કરી રહ્યા છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર