મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું કૅબિનેટ વિસ્તરણ, એક પણ મહિલાને સ્થાન નહીં

બુધવાર, 10 ઑગસ્ટ 2022 (10:41 IST)
મહારાષ્ટ્રમાં થોડા સમય પહેલાં જ આવેલા રાજકીય ભૂકંપ બાદ મુખ્ય મંત્રી બનેલા એકનાથ શિંદેની સરકારમાં મંગળવારે કૅબિનેટનું વિસ્તરણ થયું હતું. જે 18 નવા મંત્રીઓએ શપથ લીધા તેમાં એક પણ મહિલાનો સમાવેશ થતો ન હતો.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એકનાથ શિંદે સરકારે કૅબિનેટમાં નવા 18 મંત્રીઓની નિમણૂક કરી હતી. આ તમામ નવા મંત્રીઓએ મંગળવારે બપોરે મહારાષ્ટ્રના રાજભવન ખાતે શપથ લીધા હતા.
 
નવા મંત્રીઓનો શપથગ્રહણ સમારોહ નાયબમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ગવર્નર ભગતસિંહ કોશયારીની હાજરીમાં યોજાયો હતો.
 
શપથગ્રહણ સમારોહ પહેલાં સીએમ એકનાથ શિંદે મુંબઈના સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં શિવસેનાના ધારાસભ્યોને મળ્યા હતા અને જે ધારાસભ્યોને મંત્રીપદ મળ્યાં નથી, તેમને આશ્વાસન આપ્યું હતું.
 
જોકે આ શપથગ્રહણ સમારોહમાં નોંધનીય બાબત એ હતી કે એકનાથ શિંદે સરકારમાં જે નવા 18 મંત્રીઓની પસંદગી થઈ છે. તેમાં એક પણ મહિલાનો સમાવેશ કરાયો નથી. જેને લઈને એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુળેએ દુખ વ્યક્ત કર્યું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર