અમરનાથ યાત્રા ટ્રેક પર મળ્યું આઈઈડી, પાક નિર્મિત માઈન અને સ્નાઈપર ગન, મોટું આતંકી હુમલો ટળ્યું

શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (18:03 IST)
અમરનાથ ધામ જવા માટે જતા ટ્રેક પર શુક્રવારે આઈઈડી, એંટ્રી પર્સનલ માઈન અને સ્નાઈપર ગન મળ્યું છે. સેનાએ જણાવ્યું કે સુરક્ષા બળને કેટલાક દિવસો પહેલા ઈનપુટ મળ્યા હતા કે આતંકી અમરનાથ યાત્રા પણ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા છે. 
 
તેને લઈને સેના અને સીઆરપીએફએ અમરનાથ યાત્રાના રસ્તા પર તીખી નજર બનાવી હતી.  આ ક્રમમાં સુરક્ષા બળએ અમરનાત્થ ધામ જતી ટ્રેક અને આસપાસના ક્ષેત્રોમાં સખ્ય શોધ અભિયાન ચાલૂ કર્યું. 
 
શોધ અભિયાનના સમયે શુક્રવારએ સુરક્ષા બળને મોટી સફળતા મળી સેનાએ ભારે માત્રામાં આઈઈડી અને પાકિસ્તાન આર્ડિનેસ ફેક્ટ્રીમાં નિર્મિત એંટી પર્સનલ માઈન મળી. તેની સાથે એક એમ-24 સ્નાઈપર રાઈફલ પણ યાત્રા ટ્રેક પર મળી છે. આ આઈઈડીમાં દારૂગોળોની માત્રા આટલી વધારે હતી કે ભારે નુકશાન થઈ શકતું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર