આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા સવારે 4 વાગ્યે ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ના અધ્યક્ષ અમિત શાહ પરંપરાગત રીતે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતીમાં હાજર રહ્યાં હતાં. અમિત શાહ તેમના પરિવાર સાથે મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓ પહિંદવિધિ કરીને રથ ખેંચીની રથયાત્રાનો પ્રારંભ કરાવ્યા અને નંદ ઘેર આનંદ ભયો, બોલ મેરે ભૈયા..કૃષ્ણ કનૈયા, જય રણછોડ-માખણ ચોરના નંદઘોષ સાથે ગગન ગૂંજી ઉઠ્યું. હજારો ભક્તો જગન્નાથના દર્શનાર્થે ઉમટી પડ્યાં છે.