આ પ્રવાસ દરમિયાન મોદી બીએચયુના ટ્રોમા સેંટરનું ઉદ્દ્ધાટન કરશે. તે સાથે એક ગામને દત્તક લેશે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વારાણસીન જીલ્લા અધિકારી કાર્યાલયમાં પ્રધાનમંત્રીનો પ્રવાસ સંદર્ભેની સૂચના ફેક્સ મારફતે આપી દેવામાં આવી છે. વડાપ્રધાનનો પ્રવાસ અગાઉ ઓક્ટોબર મહિનામાં હતો પણ હુડહુડ ચક્રવાતને કારણે આ પ્રવાસ રદ્દ થયો હતો.